"I CAN" IS MORE IMPORTANT THAN "I.Q."

Thursday, January 24, 2013

” ચિંતા અને તણાવ પ્રત્યે …..”

“ચિંતા અને તણાવ પ્રત્યે …..”

“ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે શરીરનું  નૂર!

 ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.”

અથવા

‘ચિંતા બડી અભાગણી, ચિંતા સબકો ખા ગઈ,

 ચિંતા સબકા પીર, ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ-જ્ઞાન.’

માનવ  જીવનની મહામૂલી સફરમાં  ચિંતા અને અસ્વસ્થતાનો મારગ લેવાને  બદલે શાંતિ અને સ્વસ્થતાનો મારગ લેવો સલાહ ભરેલો છે, પસંદગી આપના ઉપર નિર્ભર રહે છે .
માનવ જીવનમાં કેટલાય એવા સંજોગ આવે છે,  અમુક એવી પરિસ્થિતિ જે વાદ વિવાદ ઉભા કરે છે, અને તેને કારણે મનની શાંતિ ડહોળાઈ જાય છે અને માનવી સખત ચિંતા અને ગ્લાનીનો અનુભવ કરે છે.  આર્થિક પ્રશ્નો, ભવિષ્યનું પ્લાનિંગ કે આર્થિક સુરક્ષા, કે પછી સંબંધમાં તણાવ ….  જેવા મુદ્દાઓ અને પ્રશ્નોને કારણે સતત ગમગીની અને તણાવ રહે છે. આવનાર પરિસ્થિતિ અંગેની ચિંતા કે કોઈ અજાણ વાતનો ડર મનને નબળું બનાવી ને અસ્વસ્થ કરી મૂકે છે .  ભવિષ્યમાં થઈ શકે એવું, સંભવનીય પરિસ્થિતિના વિચારો, ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓ, અને તેની વર્તમાન ઉપરની અસર, વિગેરે એવી વાતો છે જે તણાવ અને ગ્લાની પ્રેરનારા બની રહે છે …અને જો આવી લાગણીને ઉદ્દેશી તે અંગે કોઈ પગલા લેવામાં ના આવે તો તે અજ્ઞાત ડર અને વહેમનું કારણ બની અને જીવનનો આનંદ અભડાવી જાય છે.
તણાવનું સાચું કારણ એ છે, કે જીવનમાં એવી પરિસ્થિતિનો સામનો થાય છે જે અંગે તમે કશુંજ કરી નથી શકતા કે નથી તેને તમે બદલી  શકતા !   આપણાં જીવનમાં આવતી દરેક પરિસ્થિતિ અને દરેક વ્યક્તિ ઉપર કાબુ ધરાવવો અશક્ય છે . દરેક સંજોગ અને સ્થિતિને બદલીને મચડીને સ્વયં ને માટે અનુકુળ બનાવવી શક્ય નથી . સ્વયંની લાગણીઓ અને ભાવનાઓ ઉપર પણ સંપૂર્ણ કાબુ ધરાવવો લગભગ અશક્ય છે આપણે એ પણ સ્વીકારવું જરૂરી છે.  માટે, જીવનમાં જ્યારે તમે મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા હો ત્યારે, વ્યક્તિગત આદર્શ અને પોતાની લાગણીઓને અનુસરવાની કોશિશ કરો છો . પરંતુ જરૂરી નથી હોતું કે તમારી લાગણીઓ અને આદર્શ સાચાજ  હોય અને ધારેલા પરિણામ અપાવે !

જીવન કેટલું  સરળ હોત જો જીવન સફરમાં કોઈ એવો સાથી … કોઈ એવો ભોમિયો,  સાથે હોય જે સતત સાચો અને સરળ મારગ ચીંધે અને દરેક ચિંતા અને ઉપાધિની ઉપર પ્રભુત્વ મેળવી અને તણાવ અને ગ્લાનીમાંથી  બહાર કાઢી અને સંપૂર્ણ શાંતિ અને સ્વસ્થતાનો અહેસાસ આપે! એ સાથી છે આપણા અંતરમાં  બિરાજેલા પ્રભુજી !
“પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિ નારાયણ દેવ, દયા કર દેવા દયા કરજે , મારી ચિંતાઓ અને ગ્લાની હરી લેજે , મને શાંતિ અને સ્વસ્થતા બક્ષી જે.  મારી ભૂલો માફ કરી અને મને સાચો રાહ ચીંધજે. પ્રભુ મને તારા ચરણોમાં સ્થાન આપજે.  શ્રદ્ધા ભક્તિ અને સદ્દબુદ્ધિ આપજે “

LOVE is the best and most beautiful things in this world.




LOVE is the best and most beautiful things in this world. It cannot be seen or even heard, but must be felt with the heart.


LOVE is any of a number of emotions and experiences related to a sense of strong affection and attachment. The word love can refer to a variety of different feelings, states and attitudes, ranging from generic pleasure to intense interpersonal attraction. The word love is a verb and a noun, meaning, combined with the complexity of the feeling involved, makes love unusually difficult to consistently define, even compared to other emotional states. Love usually refers to a deep, ineffable feeling of tenderly caring for another person.


Love is a strange thing. It can be the most amazing feeling in the world, or it can really hurt, but in the end love is something most, if not all of us, will face. Love is the master-key that opens the gates of happiness. Love has no awareness of merit or demerit; it has no scale… Loves makes your soul crawl out from its hiding place. Love is sustained by action, a pattern of devotion in the things we do for each other every day.


LOVE is very patient and kind. It’s never jealous, never boastful nor proud; never rude and not self-seeking. It is not prone to anger; neither does it brood over injuries. Love does not rejoice in what is wrong but rejoices with the truth.
LOVE never fails, but conquers all.